Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના નવલખી હાઈવે પર ગઇકાલે ટ્રક-બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક વિરૂધ...

મોરબીના નવલખી હાઈવે પર ગઇકાલે ટ્રક-બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાઇ

મોરબી-માળિયા નવલખી હાઈવે ઉપર ગઇકાલે ટ્રક હડફેટે યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક વિરૂધ માળીયા (મિં) પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળિયા નવલખી હાઇવે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગઇકાલે સવારમાં નવલખી હાઈવે ઉપર નાના દહિંસરા ગામના પાટીયા પાસે આવેલ વાસુકી કોલસાના બેલા નજીક ટ્રક નં.GJ-05-1179ના ચાલકે બાઇક નં.GJ-AP-3701ને હડફેટે લીધું હતું. જેથી વવાણીયા ગામના ગુલમામદભાઇ જુમ્માભાઇ સુમરા (ઉ.વ.35)ને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વિપુલ કિશોરભાઈ આત્રોલીયા (ઉ.વ.25) અને ઉમેશ કાનજીભાઈ આત્રોલીયા (ઉ.વ.18)ને ઈજા પહોંચી હોવાથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ત્યાંથી ટ્રક મુકી નાસી છુટ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ મૃતક ગુલમામદભાઈના પિતા હુશેનભાઇ ઇશાભાઇ સુમરા માળિયા (મિં) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!