Sunday, May 5, 2024
HomeGujaratનાના ખીજડીયા ગામે સુરાપુરા દાદાના મંદિરને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી 12થી15 હજારની...

નાના ખીજડીયા ગામે સુરાપુરા દાદાના મંદિરને નિશાન બનાવતા તસ્કરો: દાનપેટીમાંથી 12થી15 હજારની રકમ ઉસેડી ગયા

ટંકારા તાલુકાના નાના ખીજડીયામાં આવેલ બરૈયા પરીવારના સુરાપુરા દાદાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું હતું. દરવાજો તોડી અંદર ત્રાટકેલા ઈસમો મંદિરની દાનપેટીમાંથી 12થી 15 હજારની રોકડ ઉસેડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

શિયાળાની ઋતુમાં છાશવારે ચોરીના બનાવો સામે આવે છે ત્યારે નાના ખીજડીયા ગામે આવેલ શીતલ પાર્ક સોસાયટીમાં આવેલ નરશીભાઇ અવચરભાઇ બારૈયાના પરીવારના સુરાપુરા દાદાના મંદિરમાં તસ્કરોએ રાત્રીના સમયે દરવાજાનો નકુચો તોડી મંદિરમા પ્રવેશ કરી મંદિરમા રાખેલ દાનપેટીમાંથી રોકડ રકમ રૂપીયા આશેર-૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ની ચોરી કરી લઇ જતા નરશીભાઇ અજાણ્યાં ચોર વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે ચોરને પકડી પાડવા સહિતની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!