Saturday, May 18, 2024
HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ભંગારના ડેલામાં લાગી ભીષણ આગ

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ભંગારના ડેલામાં લાગી ભીષણ આગ

મોરબી-રાજકોટ હાઇવે પર આવેલ શનાળા ગામ નજીક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે આગ બનાવની મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પર આવેલ શનાળા ગામ નજીક નવી બની રહેલી મેડિકલ કોલેજ સામે આવેલ ભંગારના ડેલામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગવાનો બનાવમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ ગયા હતા. જેથી આ બનાવ અંગે મિરબી જીલ્લા ફાયર વિભાગમાં જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ લાગેલ વિકરાળ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લાવવા મોડીરાત સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભંગારના ડેલામાં લાગેલ ભીષણ આગમાં વધારે નુકશાન થયું હોવાનો અંદાજ લગાવવાં આવી રહ્યો છે ત્યારે ભંગારના ડેલામાં ક્યાં કારણોસર આગ લાગી હતી એ કારણ હજુ અકબંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!