Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરના કોઠારીયા ગામની વીડીમાં માનસિક બીમારીથી કંટાળી આધેડએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

વાંકાનેરના કોઠારીયા ગામની વીડીમાં માનસિક બીમારીથી કંટાળી આધેડએ ગળેફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું

વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં આવેલ ડુંગરાળ વિસ્તારની વીડીમાં બાવળના ઝાડ સાથે દોરી બાંધી ટંકારા તાલુકાના હડમતીયા ગામના માનસિક બીમારી ધરાવતા આડેધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અને અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની મળતી વિગત મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયાને માનસીક બિમારીની તકલીફ હોય જેથી ગત તા.૦૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૮ વાગ્યે પોતાનુ એકટીવા લઈ જડેશ્વર મંદીર પાસે કોઠારીયા ગામની સીમમાં ડુંગરાળ વીડી વિસ્તારમાં આવી પોતાની જાતે ગાંડા બાવળની ડાળી સાથે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરતા મરણ જતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ મથકના હેઙ.કોન્સ. કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!