Friday, May 10, 2024
HomeGujaratમોરબી પંથકમાં પાણીના ખાડામાં ડૂબી જતા સગીર અને પાંચમા માળેથી પટકાતા યુવાનનું...

મોરબી પંથકમાં પાણીના ખાડામાં ડૂબી જતા સગીર અને પાંચમા માળેથી પટકાતા યુવાનનું મોત નીપજ્યું

મોરબી પંથકમાં અપમૃત્યુંના બે બનાવો સામે આવ્યા છે જેમાં પાણીમાં ડૂબી જતાં સગીરનુ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક બનાવમાં પાંચમા માળેથી પગ લપસી જતા નીચે પટકાયેલ પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના પંચાસર રોડ પર આવેલ પુસ્કરધામ સોસાયટીમાં નવી બનતી નીલકંઠ એપાર્ટમેંટના પાંચમા માળે પાણી છાંટતા હતા તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા અર્જુનરામ લુણારામ જોરટ (ઉ.વ.૧૮) નીચે પટકાયો હતો. જેમાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

અન્ય એક બનાવમાં મોરબીના જાંબુડીયા ગામની શીમમા ખાણની બાજુમા ખાડામા ન્હાવા ગયેલા જતીન જેશીંગભાઇ ખરા (ઉ.વ.૧૩) નું પાણીના ખાડામાં ડૂબી જતાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!