Saturday, April 27, 2024
HomeGujaratટંકારામાં ફેકટરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ વેપારીએ જીવન ટૂંકાવ્યું

ટંકારામાં ફેકટરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ વેપારીએ જીવન ટૂંકાવ્યું

મોરબી જિલ્લામાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જઈ રહ્યો છે. જેને પગલે તંત્ર પણ ધંધે વળગ્યું છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં એક ધંધાર્થીઓ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના ટંકારાનાં દેવડીયાના રહેવાસી મયુરભાઇ હરીભાઇ ભાલોડીયા ટંકારાના દેવડીયામાં શ્રી કોટેક્ષ જિનીંગ ફેકટરી નામની ફેક્ટરી ધરાવે છે. જેણે ગઈકાલે રાતના સમયે અગમ્ય કારણોસર પોતાની ફેકટરીમાં જ પાંખે દોરડું બાંધી તેની સાથે લટકી ગળેફાંસો ખાધો હતો. જેને લઈ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડૉ. શ્રી શ્રેયા માકડીયાએ તેમને મૃત જાહેર કર્યા હતા અને ટંકારા પોલીસ મથકમાં જાણ કરી હતી સ્વજનન અણધાર્યા મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!