Saturday, April 27, 2024
HomeGujaratટંકારાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા યુવકનું મોત

ટંકારાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા યુવકનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામે ઝેરી વિછી કરડી જતા એક યુવાનનું મોત નિપજ્યું છે. જેને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામે રમેશભાઈ ઘોડાસરાની વાડીમાં રહેતા ૧૭ વર્ષીય યુવક રાજેશભાઈ નવલસિંહ વાખલા ગત તા. ૨૯-૦૯-૨૦૨૨ ના રોજ વાડીએ ખેતીકામ કરતા હતા. તે દરમિયાન એક ઝેરી વિછી અચાનક ત્યાં આવી પહોંચ્યું હતું અને કોઈ કારણોસર તેણે યુવકને કરડી જતા તેને સારવારમા રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે અંગે ફરજ પર હાજર તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!