Saturday, July 27, 2024
HomeGujaratમોરબી શનાળા નજીક ઓવરબ્રીજ નીચે કારચાલકે એક્ટીવાને ઠોકર મારતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી શનાળા નજીક ઓવરબ્રીજ નીચે કારચાલકે એક્ટીવાને ઠોકર મારતા યુવક ઈજાગ્રસ્ત

મોરબી જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના શનાળા બ્રીજ નિચે ભક્તિનગર સર્કલ નજીક એક કાર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવ ચાલક યુવકને પગમાં નળાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી દલવાડી સર્કલ પ્રધાન મંત્રી આવાસ યોજના બી-૦૧ મકાન નં-૧૦૮માં રહેતા શાભાજીના ધંધાર્થી નવઘણભાઈ મનસુખભાઈ ભોજવીયા ગત તા.૧૧/૦૨/૨૦૨૩ ના સાંજના સમયે પોતાની GJ-36-AB-3232 નંબરની એક્ટીવા લઈ મોરબી શનાળા બ્રીજ નિચેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ભક્તિનગર સર્કલ પાસે પુરપાટ ઝડપે આવતી GJ-03-BA-6834 નંબરની સફેદ કલરની અલ્ટો કારના ચાલકે નવઘણભાઈની એક્ટીવાને ટક્કર મારતા નવધનભાઈ નીચે પછડાયા હતા. જેના કારણે તેમને જમણા પગમાં નળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ નવધનભાઈએ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!