Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાનાં ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

વાંકાનેરમાં લોહાણા યુવાનની હત્યાનાં ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

વાંકાનેરમાં ગત ૧૧ સપ્ટેમ્બરે મોડી રાતે પૈસાની લેતીદેતી બાબતે લેણીયાતો આવીને વારંવાર ગાળાગાળી કરતા હોઇ, સમજાવટ કરવા ગયેલા યુવકની ત્રણ શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી, અને બનાવામાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. જયારે એક આરોપી ફરાર થયો હતો. જે આરોપીને વાંકાનેર સીટી પોલીસે દબોચી લીધો છે. અને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૧/૦૯/૨૦૨૨ ના રાત્રીના એક સવા એક વાગ્યે વાંકાનેરની અમરનાથ સોસાયટીના નાકે અમીત ઉર્ફે લાલો અશ્વીનભાઇ કોટેચાનું પૈસાની લેવડ દેવડ બાબતે આરોપી ઇમરાન ફારૂક આરબ તથા ઉનાયત અયુબ પીપરવાડીયાએ છરીથી આડેધડ ધા મારી હત્યા નિપજાવી હતી. જેને પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રીજો આરોપી સરફરાજ હુસેનભાઇ મકવાણા ફરાર થયો હતો. જેને પગલે પોલીસે આરોપીના કુટુંબના સભ્યો તથા સગા સંબંધી-મિત્રોની ઉંડાણ પુર્વક તપાસ કરતા વાંકાનેર પીઆઈ બી.પી.સોનારાને ખાનગી રહે બાતમી મળી હતી કે, આરોપી સરફરાજ હુસેન મકવાણા ચોટીલા થી થાનગઢ તરફ જનાર છે. જે હકીકતના આધારે ચોટીલા થાનગઢ ચોકડી ખાતે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે આરોપીને વાંકાનેર લાવી કોરોના ટેસ્ટ કરાવી આજે પુછપરછ કરી રીમાન્ડ મેળવી આરોપી નાસતો ફરતો હતો તે દરમિયાન કઈ કઈ જગ્યાએ આશરો લીધેલ છે તેમજ આ ગુન્હામાં અન્ય કોઇ વ્યકિત સંડોવાયેલ છે કે કેમ તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!