Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેરના વઘાસીયા ગામેથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જસદણ પંથકમાથી ઝડપાયો

વાંકાનેરના વઘાસીયા ગામેથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જસદણ પંથકમાથી ઝડપાયો

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાંથી સાડા પાચેક મહીના અગાઉ સગીરાનું અપહરણ કરી જનાર આરીપી દબોચી લેવામાં અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથક હેઠળ આવતા વઘાસીયા ગામની સગીરાનું આરોપી અપહરણ કરી જતા અંગે આઇ.પી.સી.કલમ -૩૬૩,૩૬૬ મુજબ ગુન્હો નોંધાયો હતો જે ગુન્હામાં સંડોવાયે આરોપી અને ભોગ બનનાર બન્ને વીછીયા પંથકમાં આવેલ મોટા માત્રા, ગોરૈયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે ત્યાં દોડી જઇ રેઇડ કરતા આરોપી વિજયભાઇ ભીખાભાઇ બોરસળીયા (ઉ.વ.૨૫ રહે , મોટા હરણીયા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર રહે. હાલ ગોરૈયા ગામની સીમ ભીમસીંગભાઇ રબારીની વાડીમાં તા.જસદણ) તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા.જેથી પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલિસને સોપવાની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!