Sunday, May 5, 2024
HomeGujaratમાળીયા(મી) માં મચ્છી વેચવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી હુમલો: ચાર...

માળીયા(મી) માં મચ્છી વેચવા બાબતે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી હુમલો: ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

માળીયા(મી.) માં રહેતા અને મચ્છી મારીનો વ્યવસાય કરતા રમજાનભાઈ જુનુસભાઈ મોવર વાળા એ ફરિયાદ નોંધાવી છે કે તેમને અગાઉ આરોપી અજરુદિન અલિયાસ જેડાના ભાઈ સાથે અગાઉ મછી વેચવા બાબતે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખી ચાર આરોપીઓ અજરૂદિન અલિયાસભાઈ જેડા, સિકંદર આમદભાઈ જેડા, યાસીન અસાકભાઇ જેડા અને અજરૂદિનના બહેન ના દિકરા એ વાગળીયા જાપા પાસે આવેલ બાબાભાઈની ચાની દુકાન પાસે આવી ભૂંડાબોલી ગાળો આપીને બે આરોપીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો જ્યારે આરોપી અજરૂદીન એ ફરિયાદીને માથામાં છરીનો ઘા મારી દેતા આઠ ટાંકા આવેલ હતા અને આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

જેથી માળીયા(મી) પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!