Friday, May 10, 2024
HomeGujaratમોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમા બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમા બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ગુર્જર સુતાર જ્ઞાતિ, મોરબી દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે નવરાત્રી મહોત્સવનું ભપકાદાર આયોજન કરાયું હતું.તા. 7 થી 14- 10 સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત વિશ્વકર્મા ગરબી મંડળ મોરબી દ્વારા તા.13 થી 14 એમ બે દિવસ માં આરાસુરી શકતી દ્વારા મહિષાસુર વધ અને જમીનથી ઉપર ઝૂલતા માતાજીના દર્શન તેમજ ફ્લોટ રાખ્યા હતાં. આ અવસરે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે ગરબે રમતી સાક્ષાત જગદંબા સ્વરૂપા બાળાઓને સમાજ અગ્રણીઓ દ્વારા 10 જેટલી જુદી જુદી વસ્તુઓની લ્હાણી કરાઈ હતી તેમજ દશેરાના દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!