Thursday, April 25, 2024
HomeGujaratઉનાળા ની અવળી અસર :વાંકાનેરની શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી

ઉનાળા ની અવળી અસર :વાંકાનેરની શાહબાવાની દરગાહમાંથી આઠ પંખાની ચોરી

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તેનાથી સામાન્ય વ્યક્તિ હેરાન પરેશાન સાથે ભયભીત છે. ત્યારે આ સામાજિક તત્વો અને ગુનેગારોથી અલ્લાહ પણ સુરક્ષિત નથી રહ્યા. વાંકાનેરની શાહબાવાની દરગાહમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમ જુદી-જુદી કંપનીના કુલ ૮ પંખા ચોરી જતા તેના વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે ગણતરીની કલાકોમાં જ પોલીસે તેની અટકાયત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરની મીનારા શેરીમાં રહેતા સરફરાજ હુશેનભાઇ ફકીર નામના શખ્સે વાંકાનેર શાહબાવાની દરગાહના ઇબાદત ખાનામા મસ્જીદના સમારકામ દરમ્યાન રાખેલ મીનારા મસ્જીદના મોટા ટેબલ પંખા એકની કિમત રૂપિયા ૧૨૫૦/- લેખે રૂ.૫૦૦૦/-ના ચાર પંખાની તથા શાહબાવાની દરગાહના પંખા જે ઇબાદત ખાનામાં રાખેલ તે એક પંખાની કિ.રૂ.૫૦૦/- લેખે રૂ.૨૦૦૦/-ની કિંમતના ચાર પંખાની એમ કુલ નાના મોટા જુદી-જુદી કંપનીના રૂ.૭૦૦૦/- ની કિંમતના કુલ ૮ પંખાની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે વાંકાનેર લક્ષ્મીપરા આર.ડી.સી બેંન્ક પાછળ રહેતા મહમદભાઇ રહેમાનભાઇ રાઠોડે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી સરફરાજ હુશેનભાઇ ફકીરની અટકાયત કરી હતી. અને આગળની કાર્યવાહી શરુ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!