Friday, March 29, 2024
HomeGujaratમોરબીની પરિણીતા પર ચારીત્ર્ય બાબતે શંકા કરી ત્રાસ ગુજાર્યાની પતિ સહિત ચાર...

મોરબીની પરિણીતા પર ચારીત્ર્ય બાબતે શંકા કરી ત્રાસ ગુજાર્યાની પતિ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ધુળકોટ ગામે પરિણીતાના ચારીત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજારવામાં આવતો હોવાની પતિ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી મહિલા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના ધુળકોટ ખોડીયાર માતાજીના મંદિર પાસે મુળ લાયન્સ નગરમાં રહેતા સોનલબેન પર તેના પતિ દીલીપભાઈ રમેશભાઈ ચૌહાણ ચારીત્ર્ય બાબતે ખોટી શંકા કુશંકા કરી શારીરીક માનશીક દુ:ખ ત્રાસ ગુજારતા હતા.ઉપરાંત ભુંડા બોલી ગાળો આપતા હતા જેમાં રમાબેન રમેશભાઈ ચૌહાણ (સાસુ), અજીતભાઈ રમેશભાઈ ચૌહાણ (જેઠ) અને વિજયાબેન અજીતભાઈ ચૌહાણ (જેઠાણી) (રહે બધા લાયન્સનગર મોરબી-૨)મદદગારી કરતા હોવાની સોનલબેને ફરિયાદ નોંધાવી છે. વધુમાં સોનલબેનને માર મારી તેણીનાં પતિએ સોનલબેને ફોન કરી તેણીનાં પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. જે ને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!