Saturday, May 18, 2024
HomeGujaratપરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા દરમિયાન ક્રીમ લચ્છીનું કરાશે વિતરણ

પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા દરમિયાન ક્રીમ લચ્છીનું કરાશે વિતરણ

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મે ના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા સ્થળ નુતન સ્ટુડિયો, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે રહેશે તેમ જ શોભાયાત્રા દરમિયાન ક્રીમ લચ્છીનું વિતરણ કરવામાં આવશે. જેના આયોજક પિયુષભાઈ જોષી (ગાયત્રી ફ્રેબિકેશન વર્કસ), શૈલેશભાઈ ઠાકર (નૂતન ઇલેક્ટ્રોનિક્સ), મનિષભાઈ જોષી (વકિલ), નરેશભાઈ ઠાકર (નૂતન સ્ટુડિયો), ભાર્ગવભાઈ જોષી, દિક્ષિતભાઈ રાવલ, કનૈયાલાલ જાની (રીટાયર પોલીસ ટંકારા), ધિરેનભાઈ ઠાકર (દ્રષ્ટી સ્ટુડિયો), હસુભાઈ પંડ્યા (શિવ મેડીકલ), અશ્વિનભાઈ રાવલ (Ex.આર્મી) સહિતના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!