Friday, April 26, 2024
HomeGujaratટંકારાના દયાલમુનીને રાજ્યપાલના હસ્તે સંસ્કૃત સાહિત્ય અકાદમીનું સાહિત્ય ગૌરવ સન્માન એનાયત કરવામાં...

ટંકારાના દયાલમુનીને રાજ્યપાલના હસ્તે સંસ્કૃત સાહિત્ય અકાદમીનું સાહિત્ય ગૌરવ સન્માન એનાયત કરવામાં આવશે

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૨૦ સાહિત્ય ગૌરવ સન્માન જાહેર કરવામાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્ય અકાદમી અંતર્ગત વર્ષ ૨૦૨૦ ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમાં વેદગ્રંથોનો અનુવાદ કરનાર ટંકારાના ડો. દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુની) ને પસંદ કરાયા છે. મુનિના ગૌરવ સન્માન સમારોહનું આયોજન તા. ૦૯ ને શુક્રવારે સવારે ૧૧ કલાકે ટંકારા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજભવન ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉદબોધન કરશે અને ટંકારા મુકામે યોજાનાર કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા દયાલમુનિનું સન્માનપત્ર, સ્મૃતિ ચિન્હ અને એક લાખ રૂપિયાની રાશી અર્પિત કરી સન્માનિત કરશે રાજભવન તરફથી પણ બે લાખ રૂપિયાની ધનરાશી અધ્યક્ષના વરદ હસ્તે સન્માન રૂપે આપવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!