Friday, April 19, 2024
HomeGujaratઆનંદો!! સ્થાનિકોની વર્ષો જૂની અગવડતાનો અંત : હળવદ તાલુકાનાં સુરવદર-દેવળીયા-ચરાડવા રોડનાં નવીનીકરણને...

આનંદો!! સ્થાનિકોની વર્ષો જૂની અગવડતાનો અંત : હળવદ તાલુકાનાં સુરવદર-દેવળીયા-ચરાડવા રોડનાં નવીનીકરણને મંજુરી

સી.આર.એફ. યોજના હેઠળ હળવદ તાલુકાના સુરવદર, દેવળીયા, ચરાડવા રોડને મંજૂરી : રૂપિયા ૨૫૯૮.૪૭ લાખના ખર્ચે ૧૭ કિલોમીટરથી વધુનો રોડ થશે તૈયાર

- Advertisement -
- Advertisement -

નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો ધરાવતા નીતિન પટેલે હળવદના સુરવદર, દેવળીયા, ચરાડવા સુધીના ૧૭.૭૦ કિલોમીટરના માર્ગને મંજુરી આપી છે. ત્યારે આશરે અંદાજીત રૂપિયા ૨૫૯૮.૪૭ લાખના ખર્ચે બનનાર આ માર્ગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના અાપવામાં આવી છે. સી.આર.એફ યોજના હેઠળ આ માર્ગના નવીનીકરણને મંજુર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત માર્ગ ૭ મીટર પહોળો બનાવવામાં આવનાર છે. આથી સ્થાનિક લોકોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી હલ આવતા સ્થાનિકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!