Friday, April 19, 2024
HomeGujaratહળવદ: પરણીતાને મરવા મજબુર કરનાર સામે ફરિયાદ નોંધાઈ

હળવદ: પરણીતાને મરવા મજબુર કરનાર સામે ફરિયાદ નોંધાઈ

હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં ગત તારીખ ૨૮/૮ના રોજ પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મૃતક પરણીતાના પિતાએ હળવદ પોલીસ મથકે પતિ અને સસરા વિરૂધ્ધ પોતાની દિકરીને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર ગત તારીખ 28ના રોજ મોડી સાંજે હળવદ શહેરમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા કિંજલબેન દલવાડી ઉંમર વર્ષ 21 નામની પરિણીતાએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી

જે બનાવમાં મૃતક પરિણીતાના પિતા પ્રેમજીભાઈ અમરશીભાઈ કણજરીયાએ આજરોજ હળવદ પોલીસ મથકમાં તેમની દીકરીને તેના પતિ રમેશભાઈ રૂગનાથભાઈ દલવાડી અને સસરા રૂગનાથભાઈ નરસીહભાઈ પિયર ન આવવા દેતા હોય તેમ જ ખોટી શંકા વહેમ રાખી શારિરીક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની
હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, આ મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!