Friday, March 29, 2024
HomeGujaratમોરબી ખાતે હનુમાનજી ચાલીસા કથામાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો: પત્રકાર એસોસિએશનના પ્રમુખ સહીતનાઓનું...

મોરબી ખાતે હનુમાનજી ચાલીસા કથામાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો: પત્રકાર એસોસિએશનના પ્રમુખ સહીતનાઓનું કરાયું સન્માન

મોરબીના સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, આવેલ રવાપર, ધૂનડા રોડ મોરબી ખાતે મોરબી સતસંગ સમાજ દ્વારા ધાર્મિક માહોલમાં શ્રી હનુમાન ચાલીસા કથાનો બરોબરનો માહોલ જામી રહ્યો છે પરમ પૂજય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની મધુર વાણીમા હજ્જારો ભક્તો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે આ મંગળ પ્રસંગે ગઈકાલે તા.૩૦ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે હનુમાનજી મહારાજના પ્રાગટયોત્સવ નિમિતે આપણી કેક ધરાવીએ મારા દાદાને મારી કેક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં 51 કિલોની કેક અને 51 કિલો ચોકલેટ કેડબરી દાદાને ધરવામાં આવી હતી. ઉપરાંત ભવ્યાતિભવ્ય અન્નકૂટ ઉત્સવ પણ યોજાયો હતો. જેમાં કથાના વક્તા પૂ. હરીપ્રકાસદાસજી સ્વામી (અથાણાં વાળા) દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ શ્રી અતુલભાઈ જોષી અને ઉપપ્રમુખ મિલનભાઈ નાનક તથા સભ્ય ભાસ્કરભાઈ જોષી અને ઋષિભાઈ મહેતાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હજારો હરિભક્તો જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!