Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજના નાણાની ઉઘરાણી મામલે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વ્યાજના નાણાની ઉઘરાણી મામલે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં રૂ. 20 લાખ વ્યાજે આપીને ધાક ધમકી તથા માર મારી પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં અવની ચોકડી પાસે રેહતા વેપારી હિતેશકુમાર કેશવજીભાઇ કામરીયા (ઉ.વ. ૩૫)એ તાલુકા પોલીસ મથકે રામભાઇ આહીર (રહે. નાગડાવાસ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પાસેથી રૂ.૨૦ લાખ ૬ ટકા વ્યાજે રકમ લીધી હતી. ચાલુ માસના વ્યાજની રકમ નહી આપતા ફોન કરી ઓફીસે બોલાવી ગાળો આપી શર્ટ પકડી બે ત્રણ ઝાપટો મારી પૈસા નહી આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!