Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનો સાંસદ મોહનભાઇ કુંડારીયાનાં હસ્તે પ્રારંભ

વાંકાનેર તાલુકામાં કિશાન સૂર્યોદય યોજનાનો સાંસદ મોહનભાઇ કુંડારીયાનાં હસ્તે પ્રારંભ

૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળી નો લાભ મળશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ૧૨ ગામોના ૧૨૩૨ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો વીડી જાંબુડીયા ગામે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીથી અનાવરણ કર્યા બાદ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દીવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને એક હજાર દિવસમાં દરેક ગામે દિવસેજ ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો વાંકાનેર તાલુકામાં ૧૨ ગામના ૧૨૩૨ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે.

હાલની કેન્દ્રની અને રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ચિંતીત છે અને કિશાન નિધિ યોજના હેઠળ ૭મો હપ્તો પણ ખેડૂતોને ચૂકવવામાં આવેલ છે અને કેન્દ્ર સરકારે ૧૫માં નાણા પંચના રૂપિયા સીધા જ ગ્રામ પંચાયતોને મળતા થયા છે. તેમજ વાંકાનેર તાલુકામાં ૪૫ કરોડના રસ્તાઓ મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતાં મંજૂર કરવામાં આવ્યા હોવાનું સાંસદ મોહનભાઇ કુંડારીયા એ જણાવ્યુ હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં પી.જી.વી.સી.એલ. ના નાયબ ઈજનેર એન.આર.હુંબલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભારવિધિ નાયબ અધિક્ષક મહાવીરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાનાં અગ્રણીઓ કેશરીદેવસિંહજી, ગોરધનભાઈ સરવૈયા, વાઘજીભાઇ ડાંગરેચા, ગોવીંદભાઈ દેસાઇ, હીરભાઈ બાંભવા, સુરેશભાઇ પ્રજાપતી, ભરતભાઇ ડાભી, કૃપાલસિંહ ઝાલા, અધિક્ષક ઈજનેર પી.આર. ડોબરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!