Thursday, May 2, 2024
HomeGujaratમાળિયા મી.નાં સરવડ ગ્રામ પંચાયતના સરપંચને પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરાયો

માળિયા મી.નાં સરવડ ગ્રામ પંચાયતના સરપંચને પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ-૫૯(૧) હેઠળ સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદા પરથી દૂર કરતા ગાંધીનગર વિકાસ કમીશ્નરને અપીલ કરાતા સરપંચના હોદા પર ફરી સ્થાપિત કરવાની હુકમ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

સરવડ ગ્રામ પંચાયતનાં સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૯(૧) હેઠળ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ મોરબી જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો હતો. જે હુકમના વિરોધમાં સરપંચે અધિક વિકાસ કમીશ્નર ગાંધીનગરને અપીલ કરી હતી. જે અરજીને ધ્યાનમાં લઈને અધિક વિકાસ કમીશ્નર ગાંધીનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના સરવડ ગામ પંચાયતના સરપંચને હોદા પરથી દૂર કરવાના આદેશને રદ કરવાનું ઠરાવી સરપંચ તરીકે નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદા પર પૂનઃ સ્થાપિત કરવાનો હુકમ કર્યો છે. તેથી ઉપસરપંચ રશિલાબેન હિતેશભાઈ વિરમગામા પાસે રહેલ સરપંચ સરવડ ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ નવનીતભાઈ શાંતિલાલ સરડવાએ સંભાળી લેવાનો રહેશે તેવો હુકમ ગાંધીનગર અધિક વિકાસ કમીશ્નર દ્વારા કરવામાં આવ્યો છે..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!