Sunday, May 5, 2024
HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પુર્ણ થતા જેલહવાલે...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પુર્ણ થતા જેલહવાલે કરવાનો હુકમ કરાયો

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. 08 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદ્દે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરીને પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા મોરબી કોર્ટે આરોપી જયસુખ પટેલને હાલ જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.જેથી નિયમ મુજબ પોલીસે જયસુખ પટેલ નો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરાવી મોરબી સબ જેલ હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!