Friday, April 19, 2024
HomeGujaratસુપ્રસિદ્ધ ખોડિયારધામ માટેલમાં દર્શનને આવતા દર્શનાર્થીઓને કોરોના ગ્રાઇડ લાઇનનું પાલન કરવા મહંતની...

સુપ્રસિદ્ધ ખોડિયારધામ માટેલમાં દર્શનને આવતા દર્શનાર્થીઓને કોરોના ગ્રાઇડ લાઇનનું પાલન કરવા મહંતની અપીલ

હાલ ચાલી રહેલી કોરોના માહામારીને પગલે વાંકાનેરના સુપ્રસિદ્ધ માટેલધામમાં દર્શનને આવતા દર્શનાર્થીઓને કોરોના ગ્રાઇડ લાઇનનું પાલન કરવા મંદિરના મહંત દ્વારા અપિલ કરવામા આવી છે. વાંકાનેરના ગામડાઓમાં કોરોનાની ફરી અસર જોવા મળી રહી છે. ત્યારે મંદિરમા ખોટી ભીડ ન થાય તેની તકેદારી રાખવામા આવી રહી છે. તમામ દર્શનાર્થીને ફરજીયાત માક્સ પહેરીને દર્શન કરવા, સામાજીક અંતર જાળવવું તેમજ દર્શન કરી તરત જ મંદિર બહાર થવા સતત સુચના આપવામા આવી રહી છે હાલ તો કોરોનાના કારણે દર્શનાર્થીની પણ પાખી ભીડ જોવા મળી રહી છે. મંદિરની ભોજનશાળા અને ધર્મશાળા બંધ રાખવામા આવી છે. માત્ર દર્શન માટે જ મંદિર ખુલ્લુ રાખવામા આવ્યુ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!