Sunday, May 5, 2024
HomeGujaratમાળીયા(મી):પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ-સાસુ સામે ફરિયાદ નોંધાઈ

માળીયા(મી):પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ-સાસુ સામે ફરિયાદ નોંધાઈ

માળીયા(મી)ના અંજીયાસર ગામે પતિ અને સાસુના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ ગળેફાસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જે આપઘાતના બનાવમાં પતિ અને સાસુ વિરુદ્ધ મૃતક મહિલાની માતાએ માળીયા(મી) પોલીસ મથકમાં દીકરીને મરવા મજબુર કરનાર જમાઈ અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના નવા અંજીયાસર ગામે રહેતા આશીફભાઇ ઉમરભાઇ મુલ્લા સાથે માળીયા(મી) જખરીયા પીર રહેતા પરવીનબેનના એકાદ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરવીનબેનના પતિ આશીફ નશો કરવાની આદતવાળો હોય ત્યારે અવાર નવાર નશો કરેલ હાલતમાં ઘરે આવી પરવીનબેન સાથે ઝઘડો કરી મારકૂટ કરતો હોય જયારે બીજીબાજુ પરવીનબેનના સાસુ જરીનાબેન ઉમરભાઇ મૂલ્લા પણ પરવીનબેનને ઘરકામ બાબતે મેણાટોણા મારી ઘરેલુ માનસિક ત્રાસ આપતા હોય જેથી પરવીનબેન પતિ તથા સાસુ દ્વારા આપવામાં આવતા શારીરિક માનસિક ત્રાસથી કંટાળી ગત તા.૦૯/૦૩ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યારે મૃતક પરવીનબેનની માતા આયશાબેન અવેશભાઇ સુભાનભાઇ કટીયા ઉવ.૪૦ રહે-માળીયા મીયાણા,જખરીયા પીર તા.માળીયાએ પોતાની દીકરી પરવીનબેનને મરવા મજબુર કરનાર દીકરીના પતિ તથા સાસુ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!