મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં આજે રેલી, મશાલ રેલી સાથે શહીદ દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબીની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી અને વિર યોદ્ધા ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ તેમજ શહિદ દિવસ નિમીતે આજે સાંજે 5:45 વાગ્યે ગાંધીચોક ખાતે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.આ તકે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષાના ટીમના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.