Friday, April 19, 2024
HomeGujaratહળવદના ચાડધ્રા ગામે ખનીજ અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની...

હળવદના ચાડધ્રા ગામે ખનીજ અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી

મોરબીના ઋષભનગરના રહેવાસી અંકુરભાઈ જગદીશભાઈ ભાદરકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પાસે બિનઅધિકૃત ખનીજ વહન કરવા બદલ ગુજરાત ખનીજ પ્રિવેનશન ઓફ ઈલીગ્લ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ સ્ટોરેજ નિયમભંગ બદલ વાહન સીઝ મુક્ત કરવાની કમ્પાઉન્ડ ફીની રકમ પ્રતિ એક ખાલી ડમ્પરના રૂ. ૧ લાખ લેખે ગણતરી કરતા કુલ ૨ ડમ્પરના રૂ. ૨ લાખ વસુલવા પાત્ર થાય છે કોઈપણ પ્રકારનું ખનીજ વગર મંજુરીએ ખનન કરતા હોય તેમજ આરોપીઓએ સરકારી કર્મચારી ફરિયાદી અંકુરભાઈની ફરજમાં રૂકાવટ કરીને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી ભરતભાઈ મેર (રહે રાજકોટ), ડમ્પર નં. જીજે-૨૫-યુ-૭૭૨૮ના ડ્રાઈવર મુકેશભાઈ નરભૂભાઈ વાખડા (રહે ગૌરીદળ રાજકોટ) , ડમ્પર નં. જીજે-૨૫-યુ-૯૦૦૧ ના ડ્રાઈવર રાજુભાઈ મંગેલીયા (રહે ગૌરીદળ રાજકોટ) અને એક અજાણ્યો ઇસમ એમ ચાર ઇસમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!