Friday, April 19, 2024
HomeGujaratમોરબી : વીસીપરા લાયન્સનગરમાં રહેતો યુવાન લાપતા

મોરબી : વીસીપરા લાયન્સનગરમાં રહેતો યુવાન લાપતા

મોરબીના નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતો અને મકાનોની હોમ લોનનું કામ કરતો ધીરજભાઇ વાલજીભાઇ ચાવડા (ઉ.વ.૨૨) નામનો યુવાન ગત તા.૨૯ જુલાઈના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. બાદમાં પરત ન ફરતા પરિવારજનોએ ઘરમેળે શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવાનની કોઈ ભાળ ન મળતા અંતે ગઈકાલે યુવાનના માતા મીનાબેન વાલજીભાઇ ચાવડાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્રની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની ફરિયાદ નોંધી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે લાપતા યુવાને કાળા કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તે વાને શ્યામ વર્ણો પતાળા બાંધાનો છે. તેનું મોઢું લંબગોળ છે. યુવાનની ઉંચાઇ આશરે પાંચેક ફુટની છે. તે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે અને તેને ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ છે. યુવાનનાં મોઢા ઉપર દાઢી નીચે જુનું લાગેલાનું નિશાન છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!