Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : 'મારા કારખાને શા માટે આવેલ' તેમ કહી બે શખ્સોએ યુવાનને...

મોરબી : ‘મારા કારખાને શા માટે આવેલ’ તેમ કહી બે શખ્સોએ યુવાનને માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અવની ચોકડી પાસે આવેલ ઓમ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ વલ્લભભાઈ કૈલા(ઉં.વ.૩૮)એ આરોપીઓ કેતનભાઈ કરશનભાઈ ઝાલરીયા અને હીતેશભાઈ કરશનભાઈ ઝાલરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૩નાં રોજ મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં ઓસીસ કારખાનાનાં ગેટ પાસે બંને આરોપીઓએ ફરિયાદી જયેશભાઈ વલ્લભભાઈ કૈલા, હરેશભાઈ વલ્લભભાઈ કૈલા અને દિનેશભાઈ વશરામભાઈ કૈલાને મારા કારખાને શા માટે આવેલ તેમ કહીને ગાળો આપી ઢીકા પાટું માર મારી બાદમાં લાકડાનો ધોકો લઈને પાછળ દોડેલ અને હવે આ બાજુ આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!