Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : 'કેમ અમે કહી ત્યારે ઉભો રહેતો નથી' કહીને ચાર શખ્સોએ...

મોરબી : ‘કેમ અમે કહી ત્યારે ઉભો રહેતો નથી’ કહીને ચાર શખ્સોએ યુવાનને માર માર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં સામાકાંઠે ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા(ઉં.વ.૩૨)એ વિનોદભાઈ કેશુભાઈ મકવાણા, સાગરભાઇ સોલંકી, જયેશભાઈ બાબુભાઈ ખરા તથા પ્રકાશભાઈ મહાલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪નાં રોજ આરોપી વિનોદભાઈ કેશુભાઈ મકવાણાએ ફરિયાદીને ફોન કરી સમર્પણ હોસ્પિટલ પાસે આવેલ ચા ની હોટલ પાસે બોલાવીને તું કેમ અમે કહીએ ત્યારે ઉભો રહેતો નથી કહીને આરોપીઓએ ફરિયાદીને લાકડી વડે માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!