Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : લખધીરનગર ગામે ખરાબાની જમીનનાં ડખ્ખામાં બે ઇસમોએ માર મારી ધમકી...

મોરબી : લખધીરનગર ગામે ખરાબાની જમીનનાં ડખ્ખામાં બે ઇસમોએ માર મારી ધમકી આપ્યાની નોંધાઈ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરનગર ગામના રહેવાસી ભારતીબેન ભુપતભાઈ ઝંઝવાડિયાએ આરોપીઓ મુકેશભાઈ પરસોતમભાઇ ડુબાણીયા અને ભુપતભાઈ બાવલભાઈ દારોદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભારતીબેનને ચારેક વર્ષથી ખરાબાની જમીનનો આરોપી મુકેશના સાળા જીગ્નેશ સાથે ઝઘડો ચાલતો હોય જે બાબતે ગત તા. ૧૪ ના રોજ ફરિયાદી ભારતીબેનના પતિને આરોપી મુકેશભાઈ સાળા જીગ્નેશ સાથે બોલાચાલી થયેલ જે બાબતનો ખાર રાખીને આરોપી મુકેશભાઈ પરસોતમભાઇ દુબાણીયા અને ભૂપતભાઇ બાવલભાઈ દારોદરા રહે બંને લખધીરનગર તા. મોરબી વાળાએ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે મારામારીના આ બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!