Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્યો વિનોદભાઈ...

મોરબી : કોરોના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે સંસદસભ્યો વિનોદભાઈ ચાવડા અને મોહન કુંડારીયા દ્વારા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

 મોરબી જીલ્લાની કોરોનાની સ્થિતિ અંગે સાંસદ સભ્યો એ સમીક્ષા કરી…

- Advertisement -
- Advertisement -

કોરોના મહામારી એ આખા વિશ્વ ને હચમચાવી નાખ્યું છે ત્યારે મોરબી પણ તેમાં બાકાત નથી ત્યારે કોરોના ની વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી કચ્છ-મોરબી ના યુવા સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ તારીખ 6-4-2021 ને સવારે 11 કલાકે તાકીદ ની બેઠક યોજી હતી. જીલ્લા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં વર્તમાન સમયે મોરબી જીલ્લાના નાગરિકો અને કોરોનાનાં દર્દીઓને સારી અને સચોટ સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી અને અન્ય સંબંધિત સેવાઓ વિશેષ રીતે મળી રહે અને કોરોના નું સંક્રમણને કાબુમાં લેવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મોરબી આરોગ્ય વિભાગ, જેલ અધિક્ષક, સિવિલ હોસ્પિટલ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!