Friday, April 19, 2024
HomeGujaratMorbiમોરબીના રફાળેશ્વર ગામે સામાન્ય બાબતે બોલાચાલી કરી માર મારતા બે ઇજાગ્રસ્ત :...

મોરબીના રફાળેશ્વર ગામે સામાન્ય બાબતે બોલાચાલી કરી માર મારતા બે ઇજાગ્રસ્ત : બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વર ગામે રેલ્વે ફાટકની બાજુમાં વરૂડી માતાના મંદીરની પાછળ રહેતા મનીષાબેન દીનેશભાઈ મારવાડી (ઉ.વ.૨૫)એ આરોપીઓ હીરાભાઈ દલાભાઈ મારવાડી, હરીશભાઈ દલાભાઈ મારવાડી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૬ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરશામાં ફરીયાદી બેન કુદરતી હાજતે જતા હોય ત્યારે આરોપીઓ અપશબ્દો બોલતા હતા. જેથી, ફરીયાદી બેને આરોપીઓના ઘરે જઈ અપશબ્દો ન બોલવા સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી લોખંડ, પાઈપ તેમજ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!