Saturday, May 18, 2024
HomeGujaratરાજકોટ રેલીમાં ભાગ લેવા મોરબી રાજપૂત સમાજ અને કરણી સેના રવાના

રાજકોટ રેલીમાં ભાગ લેવા મોરબી રાજપૂત સમાજ અને કરણી સેના રવાના

રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર સામે વિવાદ શાંત થઈ રહ્યો નથી. છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પરષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધના સૂર ઉઠ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ ખાતે રૂપાલા સામે વિરોધ કરવા રેલીનું આયોજન કરવાં જોડાવવા મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ રવાના થયા છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેલીમાં ભાગ લેવા મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ રવાના થયા છે. જેમની સાથે વાંકાનેર બાઉંટ્રી ખાતેથી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા જોડાશે. તેમજ રૂપાલાનાં વિરોધમાં મોરબી કરણી સેના અને રાજપૂત સમાજના અગ્રણીઓએ “ભાજપ તુમસે બેર નહિ રૂપાલા તેરી ખેર નહિ”નાં નારા લગાવ્યા હતા. અને પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની રાજપૂત સમાજ દ્વારા માંગણી કરાઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગોંડલના શેમળા ખાતે યોજાયેલ રાજપૂત સમાજની બેઠકમાં હાજર રહેલ મોરબીના રાજપૂત અગ્રણીઓ પણ રાજકોટ જવા રવાના થયા છે. તેઓએ પણ રૂપાલાને બદલાવવાની માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!