Friday, April 26, 2024
HomeGujaratMorbiમોરબીના ગાળા ગામ નજીક તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવી જતા માછલીઓના મોત, પ્રકૃતિ...

મોરબીના ગાળા ગામ નજીક તળાવમાં કેમિકલયુક્ત પાણી ઠાલવી જતા માછલીઓના મોત, પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ

અનેક ઔધોગિક એકમો દ્વારા વેસ્ટ કચરાને જ્યાંત્યા ફેંકી દેવામાં આવે છે જેના લીધે માનવજીવન અને પ્રકૃતિ જોખમમાં મુકાય છે GPCB કડક કાર્યવાહી કરે એ જરૂરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ઉધોગોની સાથે સાથે પ્રદૂષણમાં પણ.હરણફાળ વિકાસ થઈ રહ્યો છે જેનું નુકસાન પ્રાકૃતિક સૌંદર્ય અનેંજીવ તેમજ પશુઓને થઈ રહ્યું છે ત્યારે આજે ગાળા ગામ નજીક તળાવમાં કોઈ ઔધોગિક એકમ દ્વારા દૂષિત કેમિકલ.યુક્ત પાણી ઠાલવી જતા અનેક મીની ફિશ એટલે કે તળાવની નાની માછલીઓનાં મોત નિપજ્યા છે જેના લીધે પ્રકૃતી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે મોરબીમાં સીરામીક એકમો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે અમુક સીરામીક યુનિટો દ્વારા દૂષિત પાણી અને વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે જેના માનવ જીવન તેમજ પ્રકૃતિ જોખમમાં મુકાય છે જેમાં આજે ગાળા ગામ નજીક આવા દૂષિત પાણી કોઈ ઔદ્યોગિક એકમો દ્વારા ઠાલવી જતા અનેક માછલીઓ મોત થઈ જતાં પ્રકૃતિ પ્રેમીઓ એ કડક કાર્યવાહી કરવા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!