Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં રવિવારે ડૉ. પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

મોરબીમાં રવિવારે ડૉ. પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

મોરબી–માળીયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના પુત્ર ડૉ. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ઉંમરે કાર અકસ્માતમાં નિધન થયુ હતું તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા ગરીબ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના કેમ્પનો છેલ્લા ૧૪ વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આગામી તા. ૧૭ એપ્રિલને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી, અતુલ ઓટોની બાજુમાં, મોરબી ખાતે મેડિકલ કેમ્પ યોજાશે. જેનો સાહેબશ્રી શિવરામદાસ બાપુ (મહંતશ્રી કબીર આશ્રમ) દ્વારા દીપ પ્રાગટ્ય ખુલ્લો મુકવામાં આવશે આ તકે જુદા–જુદા વિષયના નિષ્ણાંત ડૉક્ટરો ડૉ. ભાવિન ગામી (જનરલ ફિઝીશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત), ડૉ. હિતેષ કણઝારિયા (જનરલ ફિઝીશીયન), ડૉ.શરદ રૈયાણી (બાળ રોગના નિષ્ણાંત), ડૉ. સુકાલીન મેરજા (ઓર્થોપેડિક સર્જન), ડૉ.ભૂમિ ભાડેશિયા (નાક , કાન અને ગળાના રોગના નિષ્ણાંત), ડૉ.ભાવેશ શેરશિયા (ચામડીના રોગના નિષ્ણાંત), ડો. કૃપા મેરજા (આંખના સર્જન) સેવાઓ આપશે. આ મેડિકલ કેમ્પનો લાભ લેવા આયોજકો ડૉ. ભાવિન ગામી અને સન્ની મેરજાએ દર્દીઓને અનુરોધ કર્યો છે.
.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!