Wednesday, May 1, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ ધામે દર્શન કરી પરત ફરતા મિત્રોના બાઇકને ટ્રકે હડફેટે લેતા...

વાંકાનેરના માટેલ ધામે દર્શન કરી પરત ફરતા મિત્રોના બાઇકને ટ્રકે હડફેટે લેતા એકનું મોત

વાંકાનેર હાઈવે પર ઢુવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં માટેલ દર્શન કરી પરત ફરતા મિત્રોની મોટરસાઈકલને ટ્રકે હડફેટે લેતા મિત્રોની સામે જ મિત્રનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માટેલ દર્શન કરી પરત ફરતા મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં મોરબીમાં રહેતા પૃથ્વી પરમાર, રોહિત ઝાલા, રોહન નઈયા અને વરુણ વાઘેલા માટેલ ગયા હતા. જ્યાં તેઓ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી બે બાઈક પર આજે સવારે ઘરે પરત ફરતા હતા. તે સમયે વાંકાનેર હાઈવે પર ઢુવા નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રકે એક બાઈકને હડફેટે લીઘી હતી. પૃથ્વી પરમારના બાઈકને હડફેટે લેતા પૃથ્વી અને રોહિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રોહિત વિપુલભાઈ ઝાલાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!