Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના જાલસીકા ગામે દિપડાનો આતંક : ગાય તથા બળદનું મારણ

વાંકાનેરના જાલસીકા ગામે દિપડાનો આતંક : ગાય તથા બળદનું મારણ

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે દિપડાએ આતંક મચાવ્યો છે. આ દિપડાએ ગઈકાલે એક ગાય તથા બળદનું મારણ કર્યું છે. આ ઘટનાની જાણ થતાં સરપંચ તથા ગ્રામજનો સ્થળ પર દોડી ગયા હતાં અને વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગની ટીમે નિરિક્ષણ કરી દીપડાએ મારણ કર્યું હોવાનું જણાવ્યું હતું હાલ વન વિભાગ દ્વારા આ દિપડાને પકડી પાડવા ગામમાં પાંજરાઓ મુકવામાં આવ્યા છે. જાલસીકા ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!