Saturday, May 4, 2024
HomeGujaratટંકારા પડધરી વિસ્તારમાં રૂપાલાનો રોડ શો - સભા:ક્ષત્રિયોને વિનંતી કરતા કહ્યું "બધું...

ટંકારા પડધરી વિસ્તારમાં રૂપાલાનો રોડ શો – સભા:ક્ષત્રિયોને વિનંતી કરતા કહ્યું “બધું ભૂલીને દેશમાં ભગવો લહેરાવો”

મોરબીમાં આજે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા રોડ શો તેમ જ સફાઈ યોજવામાં આવી હતી સાથે સાથે રાજકોટ લોકસભા વિસ્તાર જે કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ ક્ષત્રિયો ને લઈને પણ પરસોતમ રૂપાલા દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સભામાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ની સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા રાજકોટ સાંસદ મોહન કુંડારીયા ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા તેમજ મોરબી માડીયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા.

સવા દરમિયાન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ લાભ અંગે ચર્ચા કરી હતી મને લોકોને માહિતી આપી હતી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી સોંપવા માટે આહવાન કર્યું હતું.

રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા આ સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક લોકોની સુખાકારી માટે ઘણા બધા કામો કરવામાં આવ્યા છે દરેક ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદીએ કામ કર્યું છે તેમજ વડાપ્રધાન મોદી દ્વારા જેટલી જેટલી યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે યોજનાઓ લઈને પણ લોકોને માહિતગાર કર્યા હતા. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા જે પરસોત્તમ રૂપાલા નો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન આપતા પરસોત્તમ રૂપાલા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ નાની મોટી વાતોને દરગુજર કરીને વડાપ્રધાન મોદી નો હાથ મજબૂત કરે અને સમગ્ર દેશમાં ભગવો લહેરાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!