Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના આંદરણા ગામેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

મોરબીના આંદરણા ગામેથી લગ્નની લાલચે સગીરાનું અપહરણ

મોરબી તાલુકાના આંદરણા ગામેથી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જનાર આદિવાસી શખ્સ સામે સગીરના પિતા એ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર આંદરણા ગામે રહેતા નરશીભાઇ શંકરભાઇ નાયક (ઉ.વ-૩૪ રહે-હાલ આંદરણા સીમ સવજીભાઇ ભુરાભાઇ પટેલની વાડીએ મુળ ગામ જી-છોટા ઉદેપુર)ની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી આરોપી અજય રમણભાઇ ડામોર (રહે-હાલ આંદરણા ગામની સીમ દિનેશભાઇ ભુરાભાઇ પટેલની વાડીએ મુળ રહે. મધ્યપ્રદેશ) ભગાડી અપહરણ કરી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આઈ.પી.સી.ક ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ ક-૧૮ મુજબ ગુન્હો નોંધી ભોગ બનનાર ને શોધી કાઢવા અને આરોપીને દબોચી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!