Saturday, July 27, 2024
HomeGujaratમોરબી રાજકોટ વચ્ચે અવર જવર કરતા લોકો માટે ખાસ:ક્યા ક્યા રસ્તા બંધ...

મોરબી રાજકોટ વચ્ચે અવર જવર કરતા લોકો માટે ખાસ:ક્યા ક્યા રસ્તા બંધ કરાયા અને ક્યાં ડાયવર્ટ કરાયા? વાંચો અહી

માધાપર ચોકડીએ બની રહેલા બ્રિજની કામગીરી ગોકળગતિએ થતી હોવાથી અવારનવાર ટ્રાફિકજામ થઈ જાય છે. ત્યારે આ કામગીરી ફરી વેગવંતી બને અને બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને માધાપર ઓવરબ્રિજનાં સ્લેબનાં સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીનાં જાહેરનામા અનુસાર, રાજકોટ શહેર ખાતે માધાપર ઓવર બ્રીજ નિર્માણ થઇ રહેલ છે. જે બ્રીજની શરૂઆત જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી શરૂ થઇ જામનગર રોડ વોરા સોસાયટી પહેલા પૂર્ણ થતો હોય, માધાપર ચોકડી ઓવર બ્રીજનાં વચ્ચેના સ્લેબની કામગીરી ચાલુ કરવાની હોય, જેથી આ સ્લેબનાં સેન્ટ્રીંગ માટે સમગ્ર ચોકમાં ટ્રાફિક મુવમેન્ટ બંધ કરવામાં આવે છે. આ બ્રીજની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી માધાપર ચોકડી ૧૫૦-ફુટ રીંગરોડ થી બેડી ચોકડી તરફ બન્ને બાજુના તમામ વાહનો માટે પ્રતિબંધ કરવામાં આવે છે અને અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં અયોધ્યા ચોક ૧૫૦-ફુટ રીંગરોડથી બેડી ચોકડી જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડીથી ડાબી બાજુ થઇ જામનગર રોડ દ્વારીકાધીશ પેટ્રોલ પંપથી યુ-ટર્ન લઇ બેડી ચોકડી તરફ જઈ શકશે. બેડી ચોકડીથી અયોધ્યા ચોક ૧૫૦-કુટ રીંગરોડ (ફકત શહેર) તરફ જવા માંગતા તમામ વાહનો માધાપર ચોકડી થી ડાબી બાજુ થઇ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી સામેના ડિવાઈડર થી યુ-ટર્ન લઇ અયોધ્યા ચોક ૧૫૦-ફુટ રીંગરોડ તરફ જઈ શકશે. બેડી ચોકડી તરફ થી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ હેવી વાહનો બેડી ચોકડી મોરબી રોડ મીતાણા/ટંકારા થઇ જામનગર, ધ્રોલ તરફ જઇ શકશે અને મોરબી રોડ બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ હેવી વાહનો આવી શકશે નહી.

બેડી ચોકડી તરફથી જામનગર/પડધરી/ધ્રોલ તરફ જવા માંગતા તમામ ટૂ-ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી ઇશ્વરીયા રોડ માધાપર ગામથી જામનગર રોડ તરફ જઇ શકશે. તેમજ રાજકોટ શહેર તરફ જવા માંગતા તમામ ટૂ ફોર વ્હિકલ નાના વાહનો મૌસુર ભગત ચોકથી સંતોષીનગર, રેલનગર અંડર બ્રીજથી શહેર તરફ જઈ શકશે. તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમોને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ થી મળેલ સત્તાની રૂએ આજરોજ તારીખ:-19/12/2022 થી મારી સહી સીક્કા કરી જાહેર જનતાની જાણ માટે માધાપર ચોકડી ઓવર બ્રીજના કંન્ટ્રકશનનુ કામકાજ ચાલુ રહે ત્યાં સુધી આ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનો તથા અન્ય સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ની કલમ-૧૮૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!