Friday, April 26, 2024
HomeGujaratપાંચેક વર્ષથી વિધવા સહાયની રકમ જમા ન થતા ચરાડવા ગામના ગંગા સ્વરૂપા દ્વારા...

પાંચેક વર્ષથી વિધવા સહાયની રકમ જમા ન થતા ચરાડવા ગામના ગંગા સ્વરૂપા દ્વારા મુખ્યમંત્રીને કરાઈ રજુઆત 

રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને અપાતી સહાય છેલા પાંચેક વર્ષથી ખાતામાં જમા ન તથા ગંગા સ્વરૂપા બહેનોની આર્થિક હાલત ડામાંડોળ બની છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા સોલંકી ગલાલબેન દેવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી છેલ્લા પાંચ વર્ષથી વિધવા સહાય ન મળતી હોવાની રાવ કરી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, ૨૦૧૭ માં સહાય આવી હતી. પરંતુ ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીમાં એક પણ વાત વિધવા સહાય આવેલ નથી. જેની જાણ મામલતદાર કચેરી ખાતે અરજી કરીએ કરવા છતાં આ દિશામાં કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો નથી. વધુમાં આર્થિક સ્થિતિ નબળી હોય ઉપરાંત સહાય જમા ન થતા પરાવાર મુશ્કેલીનું સામનો કરી ગુજરાન ચલાવવામાં પણ સમસ્યા આવી રહી છે ત્યારે વિધવા સહાય નિયમિત પણ મળે તે અંગે ઘટતું કરવા અંતમાં મુખ્યમંત્રીને કરાયેલ રજુઆતમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!