Thursday, April 18, 2024
HomeGujaratમોરબી પંથકની સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી જનાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

મોરબી પંથકની સગીરાને ફોસલાવી અપહરણ કરી જનાર આરોપી અને ભોગ બનનાર સગીરાને પોલીસે જામનગર પંથકમાંથી શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા તાલુકાના વીરવીદરકા ગામની સગીરાનું તે જ ગામે રહેતા આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોરભાઇ સનુરા અપહરણ કરી લઈ ગયો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મોરબી સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન એપાર્ટ ગુ.ર.ન, ૦૦૦૪ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જે ગુન્હાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ માધ્યમથી આ ગુન્હાનો આરોપી જયદીપ ઉર્ફે અજય કિશોભાઇ સનુરા અને ભોગબનનાર સગીરા જામનગર હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે જામનગર ખાતે તપાસ કરાવતા આરોપી તથા ભોગબનનાર મળી આવ્યા હતા. આથી પોલીસે આરોપીને ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઇ જે.એમ.આલ, એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, જનકભાઇ મારવણીયા, હેડ કોન્સ્ટેબ રસીકભાઇ કડીવાર, નંદરામભાઇ શીવરામભાઇ મેસવાણીયા, તથા કોન્સ્ટેબલ રમેશભાઇ કાનગડ, હસમુખભાઇ પરમાર, ભરતભાઇ ગોરધનભાઇ, તેમજ મહિલા કોન્સ્ટેબલ પારમીતાબેન સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!