Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર નજીક સામે જોવા બાબતે ત્રણ ઈસમો યુવાન પર તૂટી પડ્યા

વાંકાનેર નજીક સામે જોવા બાબતે ત્રણ ઈસમો યુવાન પર તૂટી પડ્યા

વાંકાનેરમાં સામે જોવા બાબતે વશી એક મારમારીનો બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના ચંદ્રપુર ગુલસનપાર્ક એ-વન એપાર્ટમેન્ટ નજીક યુવાનને માર મારી ત્રણ શખ્સો પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના ચંદ્રપુર ગુલસનપાર્કમાં રહેતા ઇસ્માઈલભાઈ માહમદભાઈ માથકીયા (ઉ.વ.-૩૮) પોતાની વાંકાનેર જીનપરા મેઈન રોડ પર આવેલ રાસાયણિક ખાતરની દુકાનેથી પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન ગૌશાળા રોડ પર સફેદ કલરની ફોરવીલ નં.GJ-36-R-7848 ના ચાલકે સામે જોવા બાબતે બોલાચાલી કરી હતી. માથાકૂટ કર્યા બાદ યુવાનના એપાર્ટમેન્ટ પાસે જઈ ઇસ્માઈલભાઈને કારચાલક સહિત ત્રણ ઈસમોએ તે અમારી સામે જોયુ જ કેમ તેમ કહી ગાળો ભાંડી હતી ત્યારબાદ મામલો બીચકાતા ત્રણેય ઈસમોએ ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તથા મોઢાના ભાગે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અંગે ઇસ્માઈલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!