Friday, April 26, 2024
HomeGujaratમોરબીના હરીપર નજીક કારખાનામાં વીજ શોક લાગતા કિશોરનું મોત સહિત અપમૃત્યુના બે...

મોરબીના હરીપર નજીક કારખાનામાં વીજ શોક લાગતા કિશોરનું મોત સહિત અપમૃત્યુના બે બનાવો નોંધાયા

મોરબી જિલ્લામા અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા છે જેમાં કારખાનામાં વીજ શોક લાગતા કિશોરનું મોત અને બીમારી બદલ યુવાતિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના હરીપર કેરાળાના પાટીયા નજીક આવેલ અર્જુન ઇંડસ્ટ્રીઝ નામના કારખાનામાં રહેતા કરણસીંહ હરીસીંહ રાજપુત નામના 17 વર્ષીય કિશોરને કારખાનામા જોરદાર વીજ કંરંટ લાગ્યો હતો. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુ અંગેના વધુ એક કેસની વિગત અનુસાર મોરબીના ભરતનગર (વિદ્યુતનગર) ખોડીયારમા જગ્યામા અનસોયાબેન બાલગીરી ગોસાઇ નામની ૩૨ વર્ષીય યુવતીનું કોઇ પણ બિમારી સબબ મોત નિપજતા મૃતદેહ સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!