Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર-હળવદમાં અપમૃત્યુનાં બે બનાવો

વાંકાનેર-હળવદમાં અપમૃત્યુનાં બે બનાવો

વાંકાનેર : આણંદપર ગામે ખાણમાં ઈલેક્ટ્રિક શોટ લાગતાં યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રહેતાં સંતોષકુમાર ફુલચંદ્રભાઈ નિશાદ (ઉં.વ.૧૯) નામનાં યુવાનને ગઈકાલે આણંદપર ગામની સીમમાં હરીભાઇની બેલાની ખાણમાં ઈલેક્ટ્રિક શોટ લાગતાં તેનું મોત નિપજ્યું હતું. બાદમાં મૃતકની ડેડબોડીને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હળવદ : સુખપર ગામે માતાપિતાએ કામ નહિ કરવા બાબતે ઠપકો આપતા યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મૂળ ગોધરાના રહેવાસી હાલ હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં વાડીએ રહી મજુરીકામ કરતા પરિવારની દિકરી નિશાબેન વેચાતભાઈ નાયક (ઉ.વ.૨૨)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં માતાપિતાએ યુવતીને ખેતરમાં કામ નહિ કરતી હોવાથી ઠપકો આપ્યો હોય જેથી યુવતીએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું છે. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!