Saturday, April 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામે માતાનાં વિયોગમાં પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૬ના રોજ ભાવપર ગામમાં રવેચી માતાના મંદીર સામે વવાણીયા ગામ તરફ જુના ગાડા માર્ગે હિતેશભાઈ વાઘજીભાઈ પૈજા (ઉ.વ.૩૬, રહે. ભાવપર (ચીન્મયા નગર) તા. માળીયા) અપરણિત હોય અને તેમની માતાનું કોરોનામાં અવસાન થયુ હતું. ત્યારબાદ પોતે ગુમસુમ રહેતો હતા અને એકલવાયુ જીવન જીવતો હતા. આથી તેને મનમાં લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. બનાવ અંગે માળીયા (મી.) પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના બંધુનગર ગામે સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોક લાગતા તરૂણનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં ભેરડા ખાતે રહેતા મહેશભાઇ ગોરધનભાઇ વાઘેલા (ઉ.વ.૧૯)ને ગઈકાલે તા. ૬ના રોજ મોરબીના બંધુનગરમાં એ ટુ ઝેડ સીરામીકના કારખાનામાં અજાણ્યા કારણોસર ઇલેક્ટીક શોક લાગતા તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!