Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાતા અરેરાટી વ્યાપી

મોરબીમાં એક જ દિવસમાં બે અકાળે મોતના બનાવો નોંધાતા અરેરાટી વ્યાપી

મોરબીમાં આપઘાત અને મોતના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં બે અકાળે મોતનાં બનાવો નોંધાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર, મોરબી કન્યા છાત્રાલય પાછળ ક્રિષ્ના પાર્ક ૨ ભાડાના મકાનમા રહેતા રૂકશાનાબાનુ ઉર્ફે માયા નકીરહુશેન શેખ નામની યુવતીએ બીમારીથી કંટાળી ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે પંખા સાથે બાધી દુપટો બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેને લઈ સ્થાનિકો દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને બનાવ અંગે જાણ કરી હતી. અને પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે બીજા બનાવમાં મોરબીના પંચાસર ગામની સીમમાં દિલુભા દાદુભા ઝાલાની વાડીએ રહેતા ખારવીબેન નમલેશભાઇ રાઠવા નામની પરણિતાને તેમના પતિએ ઠપકો આપેલ હોય જેથી ગત તા.૩૧/૦૧/૨૦૨૩ ના રોજ પંચાસર ખાતે વાડીએ આવી મોડી રાત્રીના ઓરડીની બાજુમાં કૂવામાં પડી આત્મહત્યા કરી લેતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!