Monday, April 29, 2024
HomeGujaratમોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયા સહિતનાં હોદેદારોની બિનહરીફ વરણી

મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે દીલીપભાઈ અગેચાણીયા સહિતનાં હોદેદારોની બિનહરીફ વરણી

મોરબી જીલ્લા વકીલ મંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની અધ્યક્ષતા હેઠળ તાજેતરમાં મોરબી વકીલ મંડળની જનરલ બોર્ડની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં ચાલુ વર્ષથી મોરબી બાર એસોસિએશનની ચુંટાયેલ બોડીને આગામી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેથી, બીજા વર્ષે પણ મોરબી વકીલ મંડળના ચૂંટાયેલ પ્રમુખ દીલીપભાઈ અંગેચાણીયા, ઉપપ્રમુખ અશોક્ભાઈ સરાડવા, સેક્રેટરી મહીધરભાઈ દવે, જોઇન્ટ મેક્રેટરી અલ્પેશભાઈ પારેખ, કારોબારી સભ્ય કલ્પેશ શેખસીયા, ધવલ શેરસિયા, ઉદપસિંહ જાડેજા આ તમામ હોદેદારો આગામી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી કાર્યરત રહેશે. આ તકે મોરબી જીલ્લા વકીલ મંડળના વકીલોએ આ તમામ હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!