Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેર : રૂપિયાની ઉઘરાણી મામલે બે શખ્સોએ વેપારી યુવાનને માર મારી જાનથી...

વાંકાનેર : રૂપિયાની ઉઘરાણી મામલે બે શખ્સોએ વેપારી યુવાનને માર મારી જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જાકીરહુશેન ઉર્ફે રાધે નુરમામદભાઇ મકવાણા (ઉ.વ.૩૨ ધંધો.વેપાર રહે.લક્ષ્મીપરા શેરી નં.૦૩ વાંકાનેર)એ આરોપીઓ ઇમરાન આરબ (રહે વાંકાનેર ખોજાખાના વાળી શેરી) તથા ઇનાયત પીપરવાડીયા (રહે. લક્ષ્મીપરા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પાસે આરોપી ઈમરાન ૧૫૦૦ રૂપિયા માંગતો હોય જે રૂપીયા દેવા માટે ગઈકાલે તા.૬ ના રોજ રાત્રીના બારથી સવા બારેક વાગ્યાના સુમારે વાંકાનેર ગ્રીનચોક પાસે મશાયખી ચેમ્બર્સ ખાતે આવેલ પોતાની ઓફીસે બોલાવતા ફરિયાદી ત્યા જતા અને માંગણા પૈસા આપી દેવા છતા ફરિયાદીને આરોપી બેફામ ગાળો દેવા લાગતા ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ બન્ને આરોપીઓએ ધોકા વતી ફરિયાદીને આડેધડ માર મારતા શરીરે મુંઢ ઇજાઓ કરી તેમજ કપાળમાં તથા માથાના ભાગે ફુટ ઇજાઓ કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!